રાજકોટની એમ.એમ.પટેલ સ્કૂલમાં શિક્ષકોની ઘટને લઇને હવે NSUI મેદાને, DEOને રજૂઆત, "યોગ્ય પગલાં લો અથવા શાળાની માન્યતા રદ કરો"

  • August 07, 2023 01:51 PM 



રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલી ગ્રાન્ટેડ એમ.એમ. પટેલ સ્કૂલમાં અંદાજિત છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ધોરણ 11 તેમજ 12માં ફક્ત બે શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આ બાબતે આજે NSUI દ્વારા DEOને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા પણ DEOને બે વખત રજૂઆત કરવામાં આવી હતી. 
​​​​​​​


પરંતુ આ સમસ્યાનો હજી સુધી કોઈ અંત આવ્યો નથી. ધોરણ 11 તેમજ 12ના વિદ્યાર્થીઓને માત્ર બેથી ત્રણ વિષયનો જ અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે બાકીના વિષયનો અભ્યાસ વિદ્યાર્થી જાતે કરવો તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવે છે.


ત્યારે આજે રાજકોટ શહેર NSUI દ્વારા DEOને રજૂઆત સાથે જણાવવામાં આવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અથવા શાળાની માન્યતા રદ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે રાજકોટ શહેર NSUI દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application