બે ટર્મથી પણ વધુ સમયની નેત્ર દીપક કામગીરી છતાં બંધારણની જોગવાઈ મુજબ મિરાણીને બદલ્યા: કચ્છ અને મોરબી જિલ્લા–ભાજપના પ્રમુખો પણ બદલાયા
રાજકોટ શહેર–જિલ્લા ભાજપ સહિત સૌરાષ્ટ્ર્ર અને રાયમાં અનેક જિલ્લા–શહેર ભાજપના પ્રમુખો બદલાશે તેવા થોડા સમય અગાઉ 'આજકાલ'માં પ્રસિધ્ધ થયેલા અહેવાલો સાચા ઠર્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સૂચના મુજબ પ્રદેશ મહામંત્રી અને ભાજપના પ્રદેશ હેડ કવાર્ટર ઈન્ચાર્જ પ્રદિપસિંહ વાઘેલાએ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, મોરબી અને કચ્છ જિલ્લાના ભાજપના પ્રમુખો બદલાવવામાં આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે કમલેશભાઈ મિરાણી સતત બે ટર્મથી જવાબદારી સંભાળી રહ્યા હતા. ભાજપના બંધારણની જોગવાઈ મુજબ કોઈ વ્યકિત બે ટર્મથી વધુ સમય માટે પ્રમુખ તરીકે રહી શકતા નથી. આ જોગવાઈના આધારે કમલેશ મિરાણીને બદલવામાં આવ્યા છે અને તેના સ્થાને યંગસ્ટર કલબ સહિતની અનેક સામાજિક અને સેવાભાવીક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને સમાજમાં મુઠી ઉચેરુ સ્થાન ધરાવતા મુકેશભાઈ દોશીના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બદલાશે તેવી વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી અને જો આમ થાય તો નવા પ્રમુખ તરીકે જાણીતા એડવોકેટ વિક્રમભાઈ પુજારા અને ઉપલાકાંઠા વિસ્તારના ભાજપના આગેવાન અશ્ર્વિનભાઈ મોલિયાના નામો બોલાતા હતા પરંતુ આજે તેના બદલે મુકેશભાઈ દોશીના નામની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અત્યાર સુધી મનસુખભાઈ ખાચરિયા જવાબદારી સંભાળતા હતા પરંતુ આજે કરાયેલા ફેરફારમાં હવે આ જવાબદારી અલ્પેશભાઈ ઢોલરિયાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ અને મોરબી ભાજપના પ્રમુખો પણ બદલાયા છે. કચ્છમાં દેવજીભાઈ વરચદં અને મોરબીમાં રણછોડભાઈ દલવાડીને નવા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની આગામી ચૂંટણી પહેલા સંગઠન માળખુ ઠીકઠાક કરવા છેલ્લા કેટલાક સમયથી કવાયત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૪ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો બદલાઈ ગયા છે. આગામી દિવસોમાં જૂનાગઢ, ગિર સોમનાથ સહિતના જિલ્લાના પ્રમુખો પણ બદલાય તેવી વાતો બોલાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech