ગેરકાયદે ગર્ભ પરીક્ષણ સામે જાગૃતિ આવે અને સમાજમાં મહિલા અને પુરૂષનું પ્રમાણ સરખું થાય તથા સ્ત્રી ભૃણ હત્યા અટકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીનાં દિશાનિર્દેશ મુજબ આરોગ્ય વિભાગનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે.
લોકોની માનસિકતામાં બદલાવ લાવવા માટે જેતપુર તાલુકાનાં પીઠડીયા ખાતે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા નવતર પહેલ હાથ ધરી સાસુ અને વહુની સયુંકત મીટિંગ યોજવામાં આવી હતી. "ધિ પ્રી - નેટલડાયોગ્નોસ્ટીક એકટ - પી.એન.ડી.ટી.૧૯૯૪" અન્વયે ગર્ભનું જાતીય પરીક્ષણ કરવા ઉપર પ્રતિબંધ છે. ગર્ભસ્થ શિશુ પુત્ર છે કે પુત્રી તે જાણવા માટે અલ્ટ્રા સોનોગ્રાફી એમ્નીઓસેન્ટેસીસનો ઉપયોગ કરવો એ કાનૂની સજાને પાત્ર ગુનો છે.
આ અંગે જેતપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો.કુલદીપ સાપરીયાનાં જણાવ્યા અનુસાર, પીઠડીયા હેલ્થ એન્ડ વેલેનેસ કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ઉર્વશીબેન મહેતા તથા ફીમેલ હેલ્થ વર્કર લખીબેન દ્વારા હાલમાં સગર્ભા હોય તેવી બહેનો સહ તેમનાં સાસુઓની સંયુક્ત યોજાયેલી આ મિટિંગમાં ભૃણ પરીક્ષણ અટકાવવા અને સ્ત્રી જન્મને વધાવવા ઉપર ભાર મુકાયો હતો. સમાજમાં સ્ત્રી જન્મદરનું જાતીય પ્રમાણ સરખું થાય તે માટે "દીકરો દિકરી એક સમાન" માનીને ક્યારેય પણ જાતીય પરીક્ષણ ગેરકાયદેસર રીતે ન કરાવવા માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભાની જવાબદારી પૂરા પરિવારની હોય છે ત્યારે તમામ જરૂરી તપાસ, દવાઓ, યોગ્ય આહાર દ્વારા સલામત પ્રસૂતિ, બાળકના જન્મ પહેલાં અને જન્મ પછી એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીની સંભાળ જેવી તમામ જરૂરી માહિતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech