મોરબી પુલ અકસ્માત : દરેક મૃતકના પરિવારને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 2 લાખનું વળતર ચુકવે જયસુખ પટેલ : HC

  • February 22, 2023 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી પુલ અકસ્માતના મુખ્ય આરોપી જયસુખ પટેલને કોર્ટે તમામ પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મોરબીના દરેક મૃતકના પરિવારને જયસુખ પટેલને 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ છે. 

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટે અકસ્માતમાં મૃત્યુ પામનાર દરેકના પરિવારને 10 લાખનું વળતર ચુકવાવનો આદેશ કર્યો છે. જયારે દરેક ઈજાગ્રસ્તોને 2 લાખની સહાયનો આદેશ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application