વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી મેઘ મહેરથી મગફળી નારિયેળી સહિતના ચોમાસું પાકને ફાયદો

  • June 30, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવાર અને ગુરુવારના બે દિવસ થી સતત વરસી રહેલા વરસાદને કારણે મગફળી નાળિયેરી સહિત ચોમાસું પાક ને જોરદાર ફાયદો થયેલો છે અને ખેડૂતો મા આનંદ ની લાગણી ફેલાયેલ છે બે દિવસ થી મેધ મહેર ના કારણે ખેતરો ભરાવા ની સાથે નાના વોકળા પણ વહેવા લાગ્યા છે અને ચારે બાજુ ખૂબજ સુંદર અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે આ વિસ્તાર માં મગફળી નો મુખ્ય વાવેતર થાય છે અને જે ખેડૂતો ને પીયત ની વ્યવસ્થા હતી તેઓએ વરસાદ પહેલા આગોતરી મગફળી નુ વાવેતર કરવામાં આવેલ જે મગફળી ખેતરો મા ઉગેલ હતી અને તેના ઉપર સમયસર વરસાદ વરસતા મગફળી ના પાક ને જોરદાર ફાયદો થશે સાથે અન્ય ચોમાસું પાક ને પણ ફાયદો થશે આ વિસ્તારના નાળીયેરનું પણ મોટા પ્રમાણમાં વાવેતર છે અને નાળીયેરી ને સારા વરસાદ ખૂબ ફાયદો થાયેલ છે અને નાળિયેર ના ઉતારા મા ફાયદો થશે સારા વરસાદ ને કારણે ખેડૂતો મા આનંદ ફેલાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application