કૃષિ એ ભારત દેશમાં પ્રાચીન યુગથી ઋષિઓની પરંપરા રહી છે. પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૂપમાં માનવ જાત પર સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે. અનાદિકાળથી કુદરતના ખોળે, કુદરતી સંસાધનોથી ખેતી કરતા ખેડુતો થોડા સમય માટે કૃત્રીમ રાસાયણિક ખાતર તથા દવાઓ તરફ વળી ગયા છે. કોરોનાના પ્રકોપ સામે રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ સમજાયુ છે. ત્યારે સાત્વિક અને શુધ્ધ ખોરાક ખાવાનો એક વિકલ્પ મળ્યો છે.
જેને સાકાર કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાકૃતિક ખેડુત સંગઠન તથા એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્માના ઉપક્રમે જીલ્લાની જનતાને જંતુનાશક દવાઓના અવશેષ વિનાના દેશી ગાયના છાણ-મુત્ર થકી બનાવેલ જીવામૃત, ઘનજીવામૃત વગેરેના ઉપયોગ કરીને ઉત્પન્ન કરેલ સાત્વિક તથા શુધ્ધ શાકભાજી, ફળો, અનાજ, કઠોળ તથા વિવિધ અથાણાં, મધ, હળદર ખરીદવા માટે તારીખ આગામી સોમવારથી દર અઠવાડિયાના સોમવારના રોજ ખંભાળિયામાં જોધપુર ગેઈટ નજીક આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું છે.
આ અમૃત આહાર મહોત્સવમાં ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સીધુ વેચાણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે આત્મા પ્રોજેકટની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech