ઓખામાં રામનવમીની શોભાયાત્રા સમયે બબાલ સર્જાતા મામલો તંગ બન્યો

  • April 01, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામનવમી નિમિત્તે કાઢવામાં આવેલી વિશાળ શોભાયાત્રા સમયે ઓખાના ગાંધીનગર વિસ્તારમાં ઝંડા ફરકાવા બાબતે હિન્દુ અને મુસ્લિમો સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો સ્થાનિક આગેવાનો અને પોલીસની સમય સૂચકતાથી થોડીક ક્ષણોમાં મામલો થાળે પડી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.


ઓખા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન પૂર્વે ઓખા પોલીસ દ્વારા શાંતિ સલામતીની બેઠક પણ યોજવામાં આવી હતી અને શોભાયાત્રામાં જડબેસલાડ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આમ છતાં પણ આવો બનાવ બનતા થોડા સમય માટે શોભાયાત્રામાં નાશભાગ મચી જવા પામી હતી.

​​​​​​​
સમગ્ર બનાવની જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે ને જાણ થતા જ એલસીબી એસઓજી સહિત પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા વધુ કઈ બનાવ ના બને તે માટે આખી રાત પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application