ભગુડાધામ ખાતે મંગળવારે પાટોત્સવ સાથે માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાશે

  • May 01, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team


મોરારિબાપુની દિવ્ય સંનિધી સાથે સંતો, અગ્રણીઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં નામી ભજનિક કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે


ગોહિલવાડના શક્તિ સ્થાનક શ્રી ભગુડાધામ ખાતે મંગળવારે પાટોત્સવ સાથે માંગલ શક્તિ સન્માન સમારોહનું આયોજન થયું છે. અહી  મોરારિબાપુની દિવ્ય સંનિધી સાથે સંતો, અગ્રણીઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં નામી ભજનિક કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે.


મંગળવારે શ્રી માંગલધામ ખાતે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના સંકલન સાથે થયેલા આયોજન મુજબ અહીંયા ૨૭માં પાટોત્સવ પ્રસંગે શ્રી માંગલ શક્તિ સન્માન દ્વારા લોક સહિત્યકારોની ભાવ વંદના કરવામાં આવનાર છે. અહી મહેશભાઈ ગઢવી દ્વારા સંચાલન માર્ગદર્શન રહેલું છે. આજના એવોર્ડ સમારંભમાં બળદેવભાઈ નરેલા, મહેશદાન મીસળ, જીતુદાન ટાપરિયા,  દ. પૂજાવાળા, કવિ ત્રાપજકર અને માયાભાઈ આહીર ને આજે શ્રીમાંગલ શક્તિ એવોર્ડ 2023 અર્પણ કરીને ભાવ વંદના કરવામાં આવશે.


આ પાટોત્સવ સમારોહ સાથે યોજાનાર સંતવાણી પ્રસંગે ધાર્મિક અને રાજકીય તથા સામાજિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application