જાણો ઉનાળામાં ACના બદલામાં ખુલ્લા આકાશ નીચે સૂવું કેટલું છે ફાયદાકારક...

  • May 25, 2023 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની ઋતુમાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારતા હોય છે. વાળી જો ક્યારેક વારંવાર પાવર કટ ઓફની સમસ્યાનો સામનો કરવો પડે તો ? જો કે, આજકાલ ધનિકોએ તો પોતાના ઘરોમાં ઇન્વર્ટર લગાવી દીધા છે. પણ નાના શહેરો અને ગામડાઓમાં, લોકો જ્યારે લાઇટ જાય છે ત્યારે તેમના ઘરની છત તરફ વળે છે.


ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ લાઇટની સુવિધા હોવા છતાં છત પર સૂવાનું પસંદ કરે છે. ગામડાના લોકો આજે પણ પ્રકૃતિના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે અને તેઓ છત પર અથવા ખુલ્લા આકાશ નીચે સૂવાનું પસંદ કરે છે. ખુલ્લા આકાશ નીચે ટેરેસ પર સૂવાથી માત્ર સારી ઊંઘ જ નથી આવતી, પરંતુ તેનાથી માનસિક શાંતિ પણ મળે છે.


ભારતમાં સદીઓથી લોકો ખુલ્લા આકાશ નીચે સૂવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણું બદલાયું છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ પંખા, કુલર કે એસીમાં સૂવાનું ટાળે છે અને ખુલ્લા આકાશ નીચે સૂવાનું પસંદ કરે છે. ટેરેસ પર સૂવાથી તમે તમારી જાતને પ્રકૃતિની નજીક રાખી શકો છો અને અને તાજી હવામાં લઇ શકો છો.


જેમ જેમ રાત પસાર થાય છે અને પરોઢ શરૂ થાય છે તેમ તેમ હવામાન પણ ઠંડુ થવા લાગે છે, તાજી હવા મળે છે. માનસિક શાંતિ પણ મળે છે. ઉનાળાની ઋતુમાં ટેરેસ પર સૂતા પહેલા, ટેરેસને પાણીથી ધોઈ લો અથવા તમારા સૂવાની જગ્યા પર ઠંડુ પાણી છાંટો. જેના કારણે ગરમ જમીનનું તાપમાન ઘટશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application