કાલે ભાટીયા ખાતે ફુલફાગ હોળી રસિયા ઉત્સવ

  • March 04, 2023 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાટીયાની લોહાણા મહાજન વાડી ખાતે તા. પ ને રવિવારના રોજ સાંજે ૪.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી સમસ્ત વલ્લભકુલ પરિવારના આશીર્વાદ સંગાથે પૂ.પા.ગો. ૧૦૮  ચંદ્રગોપાલજી મહારાજ પોરબંદરવાળાના સાનિઘ્યમાં ફૂલફાગ હોળી રસિયા ઉત્સવ આયોજીત કરવામાં આવેલ છે.



આ ઉત્સવમાં પૂ. ચંદ્રગોપાલજી મહારાજ પધારી વૈષ્ણવોને આશિર્વચન પાઠવશે અને ફૂલફાગ હોળી રસિયા વૈષ્ણવોને રમાડશે.
આ હોળી રસિયા ઉત્સવ કાર્યક્રમમાં દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ), પ્રમુખ બરાડી લોહાણા મહાજન, વગજુભાઇ પાબારી (જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ), ભરતભાઇ મોદી (વૈષ્ણવ અગ્રણી), ડીવાયએસપી પ્રજાપતિ, મામલતદાર રિંડાણીબેન તેમજ ભાગવત કલાકારો પૂ. ધવલભાઇ અત્રી (લાંબાબંદર) વાળા, પૂ. અરૂણભાઇ ભટ્ટજી (ભાટીયા) વાળા પ્રસિઘ્ધ ગાગા-ગુરૂણી ગુંસાઇજી બેઠકના મુખ્યાજી કાનુભાઇ શર્મા, પંકજભાઇ શર્મા, ભાટીયા વલ્લભ સદન હવેલીના મુખ્યાજી નારણભાઇ શર્મા વિગેરે ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે.



તેમજ ભાટીયા-બારાડી પંથકના વૈષ્ણવ આગેવાનો ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, તુલસીદાસભાઇ ભાયાણી, લખુભાઇ સામાણી, ડી.એલ. પરમાર, દામોદરભાઇ દાવડા, નારણભાઇ કરંગીયા, નટુભાઇ દત્તાણી, વિઠ્ઠલભાઇ સોનગરા, વિઠ્ઠલભાઇ મશરૂ, ધનસુખભાઇ બારાઇ, પ્રેમજીભાઇ પાણખાણીયા, શૈલેષભાઇ સોની, જ્યોત્સનાબેન ગોકાણી અને નીતાબેન રાયચુરા વિગેરે ખાસ પધારશે.



ફૂલફાગ હોળી રસિયા ઉત્સવના કાર્યક્રમના સંયોજક નિલેશભાઇ કાનાણી તથા ભરતભાઇ કાનાબાર, મીલનભાઇ મોદી દ્વારા અનુરોધ કર્યો છે. ઉત્સવ પત્યા બાદ ઉપસ્થિત તમામે તમામ વૈષ્ણવો માટે કલેવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સમગ્ર આયોજન સમસ્ત વૈષ્ણવ સમાજ ભાટીયા દ્વારા આયોજન કરેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application