નિયમિત્ત રીતે અનિયમિત્ત દોડતી કાલાવડ એસટી ડેપોની બસો

  • February 15, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ શહેર ભાજપના પ્રમુખ હસમુખ વોરા દ્વારા રાજકોટ-કાલાવડ રૂટ ઉપર ચાલતી બસોની અનિયમિતા અને વારંવાર રૂટ કેન્સલ થવા બાબત તેમજ બસોની અછત અંગે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને તથા એસ.ટી.ના અધિકારીઓને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સાંજના પ વાગ્યા પછી રાજકોટથી કાલાવડ અને કાલાવડથી રાજકોટ ચાલતી બસો સતત અનિયમિત રહે છે તેમજ આ રૂટ ગમે ત્યારે બંધ કરવામાં આવે છે, જેના કારણે આ રૂટ પર અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા મેટોડા જીઆઈડીસીમાં કામ કરતા કર્મચારીઓને ભારે તકલીફ પડે છે.

​​​​​​​તેમજ સાંજે ૫થી ૮ વાગ્યાના સમયમાં બસો ઓછી હોય દર ૧૫ મીનીટના સમયમાં પેસેન્જરોને પડતી તકલીફ દુર થાય તે માટે નવી બસના રૂટ ચાલુ કરવા તેમજ અમુક બસોમાં જગ્યા હોવા છતાં રૂટ પર આવતા સ્ટોપ ઉપર બસ રોકવામાં આવતી નથી, તેમજ અમુક બસના સ્ટાફનું મુસાફરો સાથે બેજવાબદાર ભર્યું વર્તન કરે છે, જે જરા પણ યોગ્ય નથી.રાજકોટ -કાલાવડના તમામ રૂટો નિયમિત થાય અને મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસ.ટી.ના વિભાગીય અધિકારીશ્રી -રાજકોટ અને જામનગર તથા ડેપો મેનેજર -રાજકોટ, જામનગર અને ધ્રોલને રજૂઆત કરવામાં આવી છે તેમજ સત્વરે કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application