જામનગરના મીઠાઈ ફરસાણના વેપારીનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ

  • July 13, 2023 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પંચવટી વિસ્તારમાં રહેતા અને પટેલ કોલોનીમાં મીઠાઈ ફરસાણની દુકાન ચલાવતા જાણીતા વેપારીને ગઈકાલે પોતાની દુકાનમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો અને મૃત્યુ નીપજ્યું છે. જેથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.
જામનગરમાં પંચવટી વિસ્તારમાં નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા અને જામનગરના પટેલ કોલોની, શેરી નં.૯ વિસ્તારમાં ન્યુ કિરીટ સ્વીટ એન્ડ નમકીન નામની દુકાન ચલાવતા જાણીતા મીઠાઈ ફરસાણના વેપારી કિશોરભાઈ કાંતિભાઈ ઠક્કરાર (ઉં.વ.૬૩), કે તેઓ ગઈકાલે રાત્રે પોતાની દુકાને વેપાર કરી રહ્યા હતા, એ દરમિયાન તેઓને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને બેશુદ્ધ બની ગયા હતા.
​​​​​​​
જેથી તેઓને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ જામનગરમાં બેડીગેઇટ વિસ્તારમાં કિરીટ સ્વીટ ફરસાણની દુકાન ચલાવતા હરેશભાઈ કાંતિલાલભાઈ ઠકરારે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. એમ. વાળાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application