જામનગરમાં પુત્રએ અલગ રહેવા જવાની વાત કરતાં માતાનો એસીડ પી આપઘાત

  • July 13, 2023 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘેર એસિડ પી લઇ આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. પોતાના પુત્રએ જુદા રહેવા જવા માટેની વાત કરતાં માતાને મનમાં લાગી આવ્યું હોવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.


જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતી રોશનબેન અમિતભાઈ લાખા નામની ૪૫ વર્ષની મહિલાએ ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં એસિડ પી લેતાં તેણીને વિપરીત અસર થઈ હતી અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.


આ બનાવ અંગે મૃતકના પુત્ર આમીન અમિતભાઈ લાખાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક રોશનબેનનો પુત્ર અજરૂદ્દીન કે જેણે પોતાની પત્ની સાથે અલગ રહેવા જવાની વાત કરતાં માતાને મનમાં લાગી આવ્યું હતું અને તેણીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. આ બનાવના પગલે શંકરટેકરી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application