આ આયોજન તા.૦૨/૦૭/૨૩ ને રવિવારના રોજ શહેરના સંધી મુસ્લિમ જમાતખાને રાખવામાં આવેલ જેમાં ધો.૧ થી ૧૨ અને કોલેજ,ડિગ્રી તથા માસ્ટર ડિગ્રી ના વિધાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને સન્માન કરવામા આવ્યા હતા. સંધી સમાજમાં પણ અન્ય સમાજની સાથે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહમા માશાલ્લાહ કુલ "૨૭૩" વિધાર્થીર્થીઓને સન્માન કરવામા આવ્યા હતા. સાથો સાથ આ આયોજનમા ખુબજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામ ની રોનક વધારી હતી.
સન્માન સમારોહમા ખાસ મહેમાન સૈયદ મુખ્તારબાપુ (ઢેબર વાળા) ઍ એમનો કિમતી સમય આપી પ્રોગ્રામની રોનકમા વધારો કર્યો ઍ બદલ જામનગર શહેર સંધી મુસ્લિમ સમાજ એમનો દિલથી આભાર વ્યક્ત કરે છે.
સંધી સમાજના જમાતખાને ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમા પોતાનો કિંમતી સમય આપીને વિનામૂલ્યે સેવા આપનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
તથા આ વર્ષે સંધી સમાજ દ્વારા એક નવી પહેલ શરું કરવામાં આવી હતી જેમા સમાજના ડોકટર, વકીલ, એન્જિનિયર, પત્રકાર, સીએ, પ્રોફેસર, શિક્ષક, પોલીસ, સરકારી અધીકારી તથા સામાજિક અગ્રણીઓને સ્ટેજ પર સ્થાન આપી સમારોહની રોનક વધારાય હતી.
આ આયોજનને સફળ બનાવવા જામનગર શહેર સંધી મુસ્લીમ સમાજના પ્રમુખ હાજીરિઝવાન ભાઈ જુણેજા, ઉપપ્રમુખો મુખ્તારભાઈ સમા, ઈરફાનભાઈ નોયડા સેક્રેટરી શકિલભાઈ સમા તથા ટ્રસ્ટીઓ અસ્લમભાઈ જુણેજા, જાવિદભાઈ ચના, મકસુદભાઈ સોઢા, હુશેનભાઈ નોયડા, હુસેનભાઇ હાલેપોત્રા, હુસેનભાઈ ચના, અસ્લમભાઈ સોરા, રફીકભાઈ સમા, આકીબભાઈ જોખીયા, મોબીનભાઈ જોખીયા, સાહિલભાઈ ખુરેશી, અયુબભાઈ જોખીયા, શબીરભાઈ ચૌહાણ, ઝહિરભાઈ રાઉમા, અદનાનભાઈ હાલાએ જહેમત ઉઠાવી હતી. સાથે સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન રમઝાનભાઈ નોયડા એ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech