જામનગરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં ચોરી કૌભાંડ મામલે જામનગર અને રાજકોટમાં એકસાથે ત્રણ વિધાર્થી સંગઠનનો હંગામો

  • May 09, 2023 11:18 AM 

જામનગરમાં પણ વિદ્યાર્થીઓના સંગઠન NSUI દ્વારા ગઈકાલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓ સાથે થયેલા આ અન્યાય અને જામનગરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં બનેલા આ સમગ્ર ચોરી કૌભાંડમાં કોલેજના સંચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા સાથે સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળાએ NSUI સંગઠનના મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા અને સભ્યો સાથે જોડાયા હતા.


રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે એકસાથે ત્રણ ત્રણ વિદ્યાર્થી સંગઠન જામનગરના નાઘેડીની કોલેજમાં થયેલા પરીક્ષાકાંડની ઘટનાનો વિરોધ કરવા આવી જતા ભારે હંગામો મચી ગયો હતો. એબીવીપીએ નાઘેડીની કોલેજનું જોડાણ રદ કરવા અને પીએચ. ડીમાં ખોટા એડમિશન આપવા મુદ્દે ઉગ્ર વિરોધ કરી કુલપતિ અને રજિસ્ટ્રારનું રાજીનામું માગ્યું હતું. 
​​​​​​​


જ્યારે રાજકોટમાં એનએસયુઆઈના આગેવાનોએ પણ નાધેડીની ઘટનાનો વિરોધ કરી સત્તાધીશોને પગલાં નહીં લઇ શકતા હોય તો બંગડી પહેરી લેવાનું કહ્યું હતું. આ ઉપરાંત આપની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસના આગેવાનોએ કુલપતિ ઉપર પૈસા ફેંક્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application