જામનગરમાં પણ વિદ્યાર્થીઓના સંગઠન NSUI દ્વારા ગઈકાલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓ સાથે થયેલા આ અન્યાય અને જામનગરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં બનેલા આ સમગ્ર ચોરી કૌભાંડમાં કોલેજના સંચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા સાથે સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળાએ NSUI સંગઠનના મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા અને સભ્યો સાથે જોડાયા હતા.
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે એકસાથે ત્રણ ત્રણ વિદ્યાર્થી સંગઠન જામનગરના નાઘેડીની કોલેજમાં થયેલા પરીક્ષાકાંડની ઘટનાનો વિરોધ કરવા આવી જતા ભારે હંગામો મચી ગયો હતો. એબીવીપીએ નાઘેડીની કોલેજનું જોડાણ રદ કરવા અને પીએચ. ડીમાં ખોટા એડમિશન આપવા મુદ્દે ઉગ્ર વિરોધ કરી કુલપતિ અને રજિસ્ટ્રારનું રાજીનામું માગ્યું હતું.
જ્યારે રાજકોટમાં એનએસયુઆઈના આગેવાનોએ પણ નાધેડીની ઘટનાનો વિરોધ કરી સત્તાધીશોને પગલાં નહીં લઇ શકતા હોય તો બંગડી પહેરી લેવાનું કહ્યું હતું. આ ઉપરાંત આપની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસના આગેવાનોએ કુલપતિ ઉપર પૈસા ફેંક્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech