ઇજા બાદ ફરી મેદાન પર વાપસી કરશે જાડેજા, આગામી ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા જ રણજીમાં સૌરાષ્ટ્ર તરફથી રમશે

  • January 15, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર હતા. પરંતુ હવે તે મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. જાડેજાની તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે, પણ આ પહેલા જ તેઓ મેદાનમાં પરત ફરશે. અહેવાલો અનુસાર જાડેજા રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા જોવા મળશે.
​​​​​​​

રણજી ટ્રોફીમાં 24 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે મેચ રમાશે. જાડેજા આ મેચમાંથી મેદાનમાં પરત ફરી શકે છે. સૂત્રો અનુસાર, જાડેજા હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે રણજી ટ્રોફીમાં રમીને મેદાનમાં પરત ફરશે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમો 9 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જાડેજાને આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ દુબઈમાં હોંગકોંગ સામે રમી હતી. આ મેચ બાદ તે સતત રનઆઉટ થઈ રહ્યો છે. જાડેજાએ ભારત માટે 60 ટેસ્ટ મેચમાં 2523 રન બનાવ્યા છે. આ સાથે તેણે 242 વિકેટ પણ લીધી છે. તેણે 171 વનડેમાં 2447 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 189 વિકેટ લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application