ભારતને ઇસરોના વૈજ્ઞાનિકોએ મોટી પ્રતિષ્ઠા અપાવી છે: શંકરાચાર્યજી

  • August 24, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીએ ચંદ્રયાન-૩ની સફળતા ઉપર બોલતા જણાવ્યૂં હતું કે, ભારતમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ ભારતને મોટી પ્રતિષ્ઠા અપાવી છે અને આ તમામ ભારતના વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું હતું. 
તેમણે કહ્યું હતું કે, પહેલેથી આપણો ભારત દેશ વિશ્ર્વ વરણી દેશ છે, ધર્મ, વિજ્ઞાન ક્ષેત્રે બહુ મોટી સફળતા અપાવી છે, ચંદ્રમંડળ સુધી ચંદ્રયાન મોકલીને ખુબ જ પરીશ્રમ બાદ સફળતા મેળવી છે, પોતાની ટેકનીકનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ નિશ્ર્ચિતરૂપે આપણી મોટી ઉપલબ્ધી કરી છે. 


ભારતીય વૈજ્ઞાનિકોએ જે રીતે પોતાની ટેકનીકની જ્ઞાન, વિજ્ઞાનનું પ્રદર્શન કર્યુ છે, પહેલાથી જ ભારત દેશ વિશ્ર્વ વરણીય બની ગયો છે, ભારતમાં સામાજીકતા, જ્ઞાન, વિજ્ઞાન બધું જ છે અને વૈજ્ઞાનિકો સફળતા મેળવે છે, ભારતના વૈજ્ઞાનિકોએ પરીશ્રમ કરીને આ એક મોટી સફળતા મેળવી છે, આ તમામ વૈજ્ઞાનિકો ભગવાન દ્વારકાધીશના આશિર્વાદને પાત્ર છે, હિમાલય એક ઉત્તમ પહાડ છે ત્યારે ઇસરો દ્વારા ચંદ્રયાન-૩ મોકલવામાં આવ્યું છે, તેનાથી ભારતની પ્રતિષ્ઠા ખુબ જ વધી છે અને આ માટે તમામ વૈજ્ઞાનિકો ખુબ-ખુબ અભિનંદનને પાત્ર છે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application