મધ્યપ્રદેશના મુરૈનામા ભારતીય વાયુ સેનાના સુખોઈ-30 અને મિરાજ-2000ને નડ્યો અકસ્માત, બચાવ કામગીરી શરુ

  • January 28, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ જ પ્લેન ક્રેશના બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું, ઉપરાંત મધ્યપ્રદેશના મુરૈનામા ભારતીય વાયુ સેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 દુર્ઘટના ગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. હાલ બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.  રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ છે.જિલ્લા કલેક્ટર આલોક રંજને કહ્યું, પોલીસ અને પ્રશાસનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. 

જયારે મધ્યપ્રદેશના મુરૈનામા અકસ્માતનો ભોગ બનેલાભારતીય વાયુ સેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 બાદ હાલ બચાવ કામગીરી શરુ થઇ ચુકી છે, વિમાન ક્રેશ થતા આગની ઘટના પણ બની છે. ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો આવી પહોચ્યા છે, ગ્વાલિયરથી પણ એરફોર્સની ટીમ બચાવ કામગીરી માટે રવાના થઇ ચૂક્યા છે, સમાચારો મુજબ  જો કે હજુ સુધી કોઈ જાનમાલની નુકસાની થઇ હોવાના સમાચાર નથી પરંતુ શહેર મેયરના જણાવ્યા મુજબ 2 પાઈલોટને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી જાણી શકાયું નથી કે બંને ફાઈટર એર ક્રાફ્ટમાં કેટલા લોકો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application