ભારતે રચ્યો નવો કીર્તિમાન, ચંદ્રયાન-3 સફળતાપૂર્વક થયું લેન્ડ

  • August 23, 2023 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતનો સમગ્ર વિશ્વમાં ડંકો, ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થઇ ચુક્યું છે, ISROના વડા એસ સોમનાથે ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ વિષે માહિતી આપતા કહ્યું છે કે, કે ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છે.

ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3 મિશન તેના ગંતવ્ય પર પહોંચી ગયું છે. ચંદ્રયાન-3 સફળ રહ્યું, ચંદ્ર પર સફળ ઉતરાણ માટે સમગ્ર રાષ્ટ્રને અભિનંદન. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરતા જ દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ISRO કેન્દ્રમાં જોડાયા છે. પીએમ મોદી ચંદ્રયાન 3ની લેન્ડિંગ પ્રક્રિયા પર નજર રાખી છે. PM મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગમાં છે. પીએમ મોદીએ ચંદ્રયાનના સફળતાપૂર્વક ઉતરાણ પર કહ્યું કે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ ઐતિહાસિક છે. આ ક્ષણ ભારતની અને લોકોની છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application