આનંદો: નેશનલ હેલ્થ મિશન હેઠળના ૨૬,૦૦૦થી વધુ કર્મીઓના પગારમાં ૨૫%નો વધારો

  • March 16, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયના આરોગ્ય વિભાગ તાબાના નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતા કરાર આધારિત કામ કરતા ૨૬૦૦૦થી વધુ કર્મચારીઓના પગારમાં ૨૫ %નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાય સરકારે નેશનલ હેલ્થ મિશન હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓના હિતલક્ષી સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૧ માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં ૨૫% નો વધારો કરાયો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ ૧૦૦ જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે. રાયના અંદાજિત ૨૬,૦૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે.
૧૧ મહિનાનો કરાર પૂર્ણ થતા પુન: નિમણૂક વખતે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે તા.૧–૦૩–૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે
આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ હિતલક્ષી નિર્ણય કર્યેા છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક છ ૧૮.૧૫ કરોડ અને વાર્ષિક છ ૨૧૭.૪૮૪ કરોડનો બોજો પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application