રાયના આરોગ્ય વિભાગ તાબાના નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતા કરાર આધારિત કામ કરતા ૨૬૦૦૦થી વધુ કર્મચારીઓના પગારમાં ૨૫ %નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાય સરકારે નેશનલ હેલ્થ મિશન હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓના હિતલક્ષી સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૧ માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં ૨૫% નો વધારો કરાયો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ ૧૦૦ જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે. રાયના અંદાજિત ૨૬,૦૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે.
૧૧ મહિનાનો કરાર પૂર્ણ થતા પુન: નિમણૂક વખતે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે તા.૧–૦૩–૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે
આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ હિતલક્ષી નિર્ણય કર્યેા છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક છ ૧૮.૧૫ કરોડ અને વાર્ષિક છ ૨૧૭.૪૮૪ કરોડનો બોજો પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું પાકિસ્તાનમાં સ્મશાન છે?હિન્દુ ધર્મના લોકો ત્યાં અંતિમ સંસ્કાર કરે છે કે...
July 03, 2024 05:31 PMબિહારમાં છેલ્લા 24 કલાકમાં 4 બ્રિજ ધરાશાયી
July 03, 2024 05:00 PMવર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાને મળ્યા વધુ એક સારા સમાચાર
July 03, 2024 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech