ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને આઇસીસી દ્રારા સત્તાવાર રીતે સ્પષ્ટ્ર કરવામાં આવ્યું હતું કે ટુર્નામેન્ટમાં ભારતની મેચો તટસ્થ સ્થળોએ યોજાશે. આઈસીસી એ યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી )ને કહ્યું હતું કે તેઓ તટસ્થ સ્થળ પસદં કરી શકે છે. હવે પીસીબી દ્રારા સ્પષ્ટ્ર કરવામાં આવ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે દુબઈ તટસ્થ સ્થળ હશે.
પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ ૨૧ ડિસેમ્બરે પાકિસ્તાનમાં અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી )ના વડા શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન સાથે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના શિડુલને લઈને બેઠક યોજી હતી અને એવું લાગે છે કે તેઓ સમજૂતી પર પહોંચી ગયા છે.
પીસીબીના પ્રવકતા આમિર મીરે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં, પીસીબી ચીફ મોહસીન નકવી અને અમીરાત ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શેખ મુબારક અલ નાહયાન વચ્ચેની રવિવારની બેઠક બાદ, અમે આઈસીસી ને જાણ કરી છે કે દુબઈ એક તટસ્થ સ્થળ હશે.
ભારતની ત્રણેય ગ્રુપ સ્ટેજની મેચ દુબઈમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો તે મેચો પણ દુબઈમાં રમાશે. આઈસીસી તરફથી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડૂલ આવવાનું બાકી છે.
નોંધનીય છે કે બીસીસીઆઈએ સ્પષ્ટ્રપણે ઈન્કાર કર્યેા હતો કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ પછી, ન્યુટ્રલ વેન્યુ અંગેની ચર્ચાએ જોર પકડું અને આખરે આઈસીસી એ નિર્ણય લીધો કે મેન ઇન બ્લુ ટુર્નામેન્ટમાં તેની મેચો ન્યુટ્રલ વેન્યુ પર રમશે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech