ભૂકંપ બાદ એક ઈમારતમાં લાગી ભીષણ આગ, પરમાણુ પાવર પ્લાન્ટમાં આંચકાના કારણે થયેલી અનિયમિતતાની તપાસ શરુ
વર્ષના પ્રથમ દિવસે પશ્ચિમ જાપાનના ઇશિકાવા પ્રાંતમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપી છે. લોકોને દરિયા કિનારે ન જવાની સૂચના પણ આપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે નિગાતા, તોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રીફેક્ચર્સમાં પણ સુનામી આવી શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં ૫ મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. શક્તિશાળી ભૂકંપના કારણે પશ્ચિમ જાપાનના લોકોમાં ભયનું વાતાવરણ છે.
આ સિવાય ૮૦ સેન્ટિમીટરના મોજા તોયામા પ્રીફેક્ચર સુધી પહોંચ્યા હતા, જ્યારે નીગાતા પ્રીફેક્ચરના કાશીવાઝાકીમાં પણ ૪૦ મીટર સુધીના મોજા જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ૪૦ સેન્ટિમીટરની લહેરો નિગાતાના સાડો આઇલેન્ડ સુધી પહોંચી હતી. યામાગાતા અને હ્યોગો પ્રીફેક્ચર્સ પણ સુનામીથી પ્રભાવિત થવાની ધારણા છે. ભૂકંપનું કેન્દ્ર ઇશિકાવા પ્રીફેક્ચરમાં એનામિઝુના ઉત્તરપૂર્વમાં આશરે ૪૨ કિલોમીટરની ઊંડાઇએ આવ્યું હતું.
પશ્ચિમ જાપાનમાં ભૂકંપ બાદ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જોકે, ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈપણ અનિયમિતતાની તપાસ કરી રહ્યા છે. મજબૂત ભૂકંપ પછી પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા જોવા મળી નથી. આંચકાને કારણે, આ પ્લાન્ટમાં વિસ્ફોટ અને રાસાયણિક લિકેજનું જોખમ વધે છે. જો કે, દેશના મુખ્ય કેબિનેટ સચિવે કહ્યું કે ભૂકંપ પછી અત્યાર સુધી કોઈ પ્લાન્ટમાં કોઈ સમસ્યા નોંધાઈ નથી. સ્થાનિક અધિકારીઓએ લોકોને સ્થળાંતર કરવાની અપીલ કરી છે અને લોકોને સંભવિત ભૂકંપ માટે તૈયાર રહેવા ચેતવણી પણ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech