પોલીસના ઘેરાવ વચ્ચે અતીક અને અશરફની હત્યા શક્ય કઈ રીતે બની ?

  • April 18, 2023 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેંગસ્ટર અને રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચનાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ 24 એપ્રિલે સુનાવણી કરશે.અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કેસમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની દેખરેખ હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં 2017 પછી ઉત્તર પ્રદેશમાં થયેલા તમામ 183 એન્કાઉન્ટરોની તપાસની માંગ કરવામાં આવી છે.


એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અતીક અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે એક સ્વતંત્ર સમિતિની રચના થવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પોલીસ એન્કાઉન્ટર લોકશાહી માટે જોખમી બનવા ઉપરાંત કાયદાના શાસન માટે પણ ખતરનાક છે.


પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર પણ અતીક અને અશરફની હત્યાની સીબીઆઈ તપાસની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેણે કોર્ટમાં હત્યાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મામલાના તળિયે પહોંચવા માટે હત્યાની સીબીઆઈ તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.


પ્રયાગરાજના પોલીસ કમિશનરે અતીક અને અશરફની હત્યાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કર્યા બાદ સોમવારે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. ડીજીપી આરકે વિશ્વર્માએ આ તપાસ ટીમની દેખરેખ માટે એડીજી ભાનુ ભાસ્કરના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ પણ બનાવી છે. યુપીની યોગી સરકાર પણ અતીક હત્યા કેસને લઈને ઘણી ગંભીર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application