મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટ તરફથી આરોપીઓને મળી રાહત, આ બન્ને આરોપીના જામીન કર્યાં મંજૂર

  • June 09, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@મોરબીમાં પુલ ધરાશાયી થતા 300 થી વધુ લોકો ડૂબી ગયા હતા. જેમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવારો બરબાદ થઈ ગયા હતા. દુર્ઘટના બાદ ઘણા દિવસો સુધી શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આ અકસ્માત બાદ પીએમ મોદીએ પણ જિલ્લાની મુલાકાત લીધી હતી અને ઘાયલોને મળ્યા હતા. અકસ્માત બાદ અનેક વિપક્ષોએ પણ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.


બ્રિજ ધરાશાયી થયાના બીજા દિવસે, નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ઓરેવાના બે મેનેજર, બ્રિજના સમારકામનો કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની, બે ટિકિટ ક્લાર્ક અને બે કોન્ટ્રાક્ટર અને ત્રણ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. આ બાદ ઓરેવા ગ્રુપના મલિક અને પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલની પણ ધરપકડ કરાઈ હતી. હાલ તે જેલના સળિયા પાછળ છે.


ત્યારે મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના કેસમાં આજે હાઈકોર્ટે 2 આરોપીઓને જામીન આપ્યા છે. મહાદેવ સોલંકી અને મનસુખ પટેલને કોર્ટ દ્વરા નિયમિત જામીન આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application