જામનગરમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આવતી કાલે ઇદે મિલાદ પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે

  • September 27, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આવતી કાલે ઇદે મિલાદ પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે

મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ: મસ્જીદ, દરગાહ અને ઈમારતોને રંગ બે રંગી રોશનીથી શણગારવામાં આવ્યા

ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત  મોહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં જશ્ને ઈદે મિલાદુન્નબી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ઈદે મિલાદ પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનરો ઉત્સાહ વર્તી રહ્યો છે.

જામનગર શહેરમાં સુન્ની મુસ્લિમ જમાત આવતીકાલે ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે સાયરપીર ચોક પાસે તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો એકત્ર થશે અને સરકાર કી આમદ મરહબાના નારાઓ સાથે જુલુસનું પ્રસ્થાન કરાવશે ત્યાર બાદ આ જુલુસ  હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચ હાટડી, દરગાર ગઢ, જુમ્મા મસ્જીદ, ટાવર મસ્જીદ, ચાંદી બજારથી પુન: દરબાર ગઢ ચોકમાં મોડી સાંજે સમાપ્ત થશે. જયા  પયગમ્બર સાહેબના પવિત્ર જીવનના પૈગામ બ્યાન કરવામાં આવશે.
​​​​​​​

જેમાં આ પ્રસંગે દરેક મિલાદ પાર્ટી, સુન્ની મુસ્લિમ જમાતો, કમિટિીઓ, સંસ્થાઓ, સ્કૂલો પોત પોતાના બેનરો લઈ અને વાહન ચાલકો પોતાના વાહનોને શંગારી આ જુલુસમાં સામેલ થવા  સુન્ની જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીએ સુન્ની મુસ્લિમ બિરાદરોને અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application