જુલાઈ ૨૦૨૩ થી પેન્ડિંગ હતો આ વધારો, મોંઘવારીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
દશેરા અને દિવાળીના અવસર પર, રેલવે બોર્ડે તેના લાખો કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ પછી તે ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થઈ ગયો છે. આ દરો ૧ જુલાઈ, ૨૦૨૩થી લાગુ થઈ ગયા છે. રેલ્વે બોર્ડ દ્વારા ૨૩ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ જારી કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ, ઓલ ઈન્ડિયા રેલ્વે અને ઉત્પાદન એકમોના જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીઓએ નિર્ણય લીધો છે કે હવે ડીએ ૪૨ ટકાથી વધારીને ૪૬ ટકા કરવામાં આવશે.
રેલવે બોર્ડે તેના નોટિફિકેશનમાં એ પણ જણાવ્યું છે કે જુલાઈ ૨૦૨૩ થી અત્યાર સુધીનું એરિયર્સ કર્મચારીઓને આપવામાં આવશે. આ બાકી રકમ આગામી મહિનાના પગાર સાથે જમા કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કર્મચારીઓનો ડીએ વધારો જુલાઈ ૨૦૨૩ થી પેન્ડિંગ હતો. હવે કર્મચારીઓને તેમનો હક્ક મળી રહ્યો છે. સમાચાર મુજબ રેલ્વે બોર્ડના આ નિર્ણય બાદ રેલ્વે કર્મચારી યુનિયનોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેનના જનરલ સેક્રેટરી એમ રાઘવૈયાએ આ નિર્ણય બાદ કહ્યું છે કે આ નિર્ણય માત્ર મોંઘવારી દરના આધારે લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે કર્મચારીઓ પર મોંઘવારીની કોઈ અસર ન થવી જોઈએ.
ડીએ વધારવાના રેલવે બોર્ડના નિર્ણય પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ આપી હતી. કેન્દ્ર સરકારે ગ્રુપ સી અને નોન ગેજેટ ગ્રુપ બી અધિકારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે આ બોનસની મહત્તમ મર્યાદા ૭,૦૦૦ રૂપિયા નક્કી કરી છે. કેબિનેટે આ બોનસ માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech