જામનગર મહાનગરપાલિકાના કમિશનરે આજી-3 ડેમ ગેટ રીપેરીંગ, પંપિંગ મશીનરીનું નિરીક્ષણ કર્યું

  • March 03, 2023 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા ની વોટર વર્કસ વિભાગ દ્વારા આજી -3 ડેમ ગેટ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો હોવાથી કેચમેન્ટ એરિયામાં થી 40 એમએલડી પાણી મેળવવાની પંપિંગ મશીનરી ની ગોઠવણ મનપા દ્વારા કરવામાં આવેલ છે , જેનું આજરોજ મનપાના કમિશનર દ્વારા વોટર વર્કસ વિભાગના અધિકારીઓ સાથે  સ્થળ નિરીક્ષણ કર્યું હતું.


જામનગર મહાનગરપાલિકા દ્વારા આજીડેમ -3 ખાતે ગેટ રીપેરીંગ અર્થે સિંચાઈ વિભાગ રાજકોટ દ્વારા આજીડેમ- 3 ખાલી કરવાનો થતો હોય , જેના ભાગરૂપે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને   મિટિંગમાં મળેલ સૂચના અનુસાર કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ હોય આ કામગીરીનું  જામનગર મહાનગરપાલિકાના કમિશનર  વિજય કુમાર ખરાડી દ્વારા વોટર વર્કસ વિભાગના કાર્યપાલક એન્જિનિયર નાયબ એન્જિનિયર ની ટીમ સાથે આજી -3 ડેમ ખાતે સાઇટ વિઝીટ કરવામાં આવી હતી ,  આજી -3 ડેમ   ખાલી થતા 40  એમ એલ ડી  પાણી મેળવવા કરવામાં આવેલી ગોઠવણ પંપીંગ મશીનરીનું  કમિશનર  દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને પાઇપલાઇન ટેસ્ટિંગની કામગીરી કરી હતી,  તેમજ આ ડેમ ખાલી થયા બાદ પણ સમગ્ર શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગને જરૂરી સૂચના આપી હતી.



જામનગર મહાનગરપાલિકા વોટર વર્કસ વિભાગ દ્વારા જામનગર શહેરમાં આ કામગીરીને અનુલક્ષીને પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો ન થાય તેની પણ તકેદારી રાખવા સૂચનો આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application