વકફ બોર્ડ પાસેથી પરત લેવામાં આવશે 123 મિલકતો, કેન્દ્ર સરકારે આપી નોટિસ

  • August 30, 2023 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર દરમિયાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી. હવે સરકાર જામા મસ્જીદ સિવાય દિલ્હીની 123 મહત્વની મિલકતો પરત લેશે. જે મસ્જિદ પાછી લેવાની છે તે લાલ કિલ્લા પાસેની જામા મસ્જિદ નથી. આ જામા મસ્જિદ મધ્ય દિલ્હીમાં આવેલી છે.


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે વકફ મિલકતો પર બે સભ્યોની સમિતિના અહેવાલના આધારે દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પર કબજો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી.


જે મિલકતો માટે નોટિસ આપવામાં આવી છે તે અગાઉ અમુક સમયે સરકાર પાસે હતી. મનમોહન સરકાર દરમિયાન આ મિલકતો વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. વક્ફ બોર્ડને મોકલવામાં આવેલી નોટિસમાં, કેન્દ્રીય શહેરી મંત્રાલય હેઠળની જમીન અને વિકાસ કાર્યાલયે તેને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે જેમાં બોર્ડ સમજાવી શકે કે આ મિલકતોને શા માટે આપવામાં આવે.


વક્ફ બોર્ડે દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ તમામ મિલકતોને તોડી પાડવાનું અને રિપેર કરવાનું કામ અન્ય કોઈએ ન કરવું જોઈએ, પરંતુ ગત મે મહિનામાં હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.


હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે વક્ફ બોર્ડને નોટિસ પાઠવીને કહ્યું છે કે જો તમને લાગે છે કે તમને આ મિલકતો મળવી જોઈએ તો જરૂરી દસ્તાવેજો રજૂ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application