અલીયા ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરતા ચાર વ્યાજખોર

  • January 30, 2023 10:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જીલ્લામાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં ચાર દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોમાં લોકદરબાર યોજવામાં આવ્યા હતા, જેમાં ભોગ બનનાર દ્વારા રજુઆત કરાઇ હતી, અલીયા ગામના એક યુવાને ચાર વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી કરવા સબબ વિધીવત ગુન્હો નોંધાવ્યો છે.


જામનગર તાલુકાના અલીયા ગામના નવાપરામાં રહેતા ખેતીકામ કરતા સંજય હરીભાઇ મકવાણા (ઉ.વ.૩૨) નામના આહિર યુવાને આશરે બે અઢી વર્ષ પહેલા આરોપીઓ પાસેથી ધંધાર્થે રૂ. પાંચ લાખ પાંચ ટકાના માસીક વ્યાજ લેખે લીધા હતા જેની મુદલ રકમ પાંચ લાખ તેમજ વ્યાજ પેટે અલગ અલગ છ લાખ જેટલી રકમ ચુકવી આપી હતી તેમ છતા આરોપીએ વધારાના વ્યાજના રૂ. દોઢ લાખ વસુલવા પઠાણી ઉઘરાણી કરી હતી.


ઉપરાંત જબરદસ્તી કોરા ચેકમાં સહી કરાવી લઇ યેનકેન પ્રકારે એકબીજાને મદદગારી આચરી હતી, આ બનાવ અંગે સંજયભાઇ મકવાણા દ્વારા ગઇકાલે પંચ-એમાં ખીજડીયા ખાતે રહેતા શોભનાબેન દિનેશ જાટીયા, દિનેશ લાખા જાટીયા, સાગર ગુણા જાટીયા અને નવઘણ ટીડા વકાતરની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૮૪, ૧૧૪ અને ગુજરાત મનીલેન્ડ એકટ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application