'એનિમલ'ના વિવાદ પર પ્રથમ વખત રણબીરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું અભિનેતાએ?

  • January 09, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaldigitalteam

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' ગત વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધૂમ મચાવી હતી. બોકસ ઓફિસ પર છવાઇ જતા આ ફિલ્મે સારી એવી કમાણી પણ કરી હતી. જોકે, 'એનિમલ' ફિલ્મમાં ખૂબ જ હિંસક દ્રશ્યો અને અભદ્રતા દર્શાવવા બદલ ઠેર-ઠેરથી આ અંગે ઘણી ટીકા પણ થવા લાગી હતી. ત્યારે હિંસક દ્રશ્યો અને રજૂઆતને કારણે સર્જાયેલા વિવાદ પર હવે અભિનેતા રણબીર કપૂરે તેમનું મૌન તોડયુ છે.


આપને જણાવી દઇએ કે 'એનિમલ'માં બતાવવામાં આવેલી હિંસા,અશ્લીલતા અને તેના ઘણા ડાયલોગ્સ પર વિવાદ થયો હતો. એટલું જ નહી આ ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસા પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ખૂબ જ સારું કલેકશન પણ કર્યું હતું. આથી, તાજેતરમાં એક સક્સેસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફિલ્મની સ્ટારકાસ્ટે હાજરી આપી હતી. આ દરમિયાન રણબીર કપૂરે 'એનિમલ'ને લઈને થઈ રહેલી ટીકા પર પોતાનું મૌન તોડ્યું હતું.


એનિમલ અંગે થઇ રહેલી ટીકા અને આલોચના છતાં પણ ફિલ્મ હીટ રહી ત્યારે અભિનેતા રણબીર કપૂરે તેમનું મૌન તોડતા કહ્યું હતું કે, એનિમલને મળેલી સફળતા માટે તે ખૂબ જ આભારી છે. જોકે, કેટલાક લોકોને આ ફિલ્મ સામે વાંધો હતો અને તેની ઘણી ટીકા થઈ હતી. પરંતુ બોક્સ ઓફિસના આંકડાએ સાબિત કર્યું કે ફિલ્મોથી ઉપર કંઈ નથી, પછી ભલે કોઈ તેમની ટીકા કરે કે વખાણ કરે. આમ, એનિમલ ફિલ્મના વિરોધ બાદ અભિનેતા રણબીરે તેમનું મૌન તોડી સચોટ જવાબ આપી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application