પિતાની અંતિમ ઈચ્છા અનુસરી છેલ્લા શ્વાસોમા ગંગાજળને બદલે પુત્રોએ દારુ પીવડાવ્યો !

  • March 11, 2023 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેણે ગંગાજળ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગાનું પાણી મોંમાં જવાથી યમના દૂત મૃતકની આત્માને પરેશાન કરતા નથી, પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે અંતિમ સંસ્કાર પહેલા ગંગાના પવિત્ર જળની જગ્યાએ મૃતકના મુખમાં દારૂ નાખવામાં આવ્યું હોય. આવો જ એક અનોખો કિસ્સો ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના મૃત્યુ બાદ તેના પુત્રોએ તેની સૌથી પ્રિય વસ્તુ તેને પીવડાવીને અંતિમ વિદાય આપી હતી. પરિવારજનોએ કહ્યું કે ગંગાના પાણીથી ખબર નહી, પરંતુ અંતિમ યાત્રા દરમિયાન દારૂ પીવડાવવાથી તેમની આત્માને ચોક્કસ શાંતિ મળશે.

શહેરના હલ્લુ સરાયણ વિસ્તારના રહેવાસી ગુલાબ સિંહને દારૂ પીવાની લત હતી. તેની  સવાર પણ દારૂ પીધા પછી શરૂ થતી અને રાત્રે ઊંઘ પણ દારૂ પીને જ આવતી હતી. ગુલાબસિંહની દારૂની લતમાંથી છુટકારો મેળવવા મામલે થાકીને પરિવારના સભ્યો પણ ચૂપચાપ બેસી ગયા હતા.

હોળીના દિવસે, 8 માર્ચ, ગુલાબ સિંહ વધુ પડતા દારૂના સેવનને કારણે બેહોશ થઈ ગયા હતા. પરિવારજનો તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાં. પરિજનો હોસ્પિટલમાંથી તેમના મૃતદેહને ઘરે લાવ્યા હતા. ઘરે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પરિજનો મૃતદેહ લઈને ગંગા ઘાટ પહોંચ્યા. અહીં ચિતાને આગ લગાડતા પહેલા, ગુલાબ સિંહના પુત્રોએ તેમના મોંમાં ગંગા જળને બદલે દારૂના ટીપાં નાખ્યા. 

ગુલાબ સિંહના પુત્ર બંટીએ જણાવ્યું કે તેના પિતા દારૂના વ્યસની હતા. તેમની ઈચ્છા હતી કે અંતિમ સંસ્કાર પહેલા તેમના મોંમાં ગંગાજળને બદલે દારૂ નાખવામાં આવે. અમે તેમની ઈચ્છાનું પાલન કર્યું છે. પ્રાચીન કાળથી કહેવત છે કે અંતિમ ક્ષણ દરમિયાન જો વ્યક્તિની અંતિમ ઈચ્છા પૂરી થાય તો તેને સ્વર્ગ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application