ઓખામાં માછીમારને હૃદય રોગનો હુમલો

  • August 24, 2023 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા થોડાં સમયથી યુવાવયે હૃદય રોગના હુમલાના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે દ્વારકા જિલ્લામાં નાની વયે હાર્ટ ઍટેકના બનાવ એક પછી એક સામે આવી રહ્યાં છે, વધુ એક માછીમાર યુવકનો હૃદયરોગના હુમલાથી ભોગ લેવાયો છે.
​​​​​​​
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહેવાસી અને હાલ ઓખામાં રહી અને માછીમારી કરતા જયેશભાઈ મોહનભાઈ ગોકળ રાઠોડ નામના ૪૧ વર્ષના યુવાનને ઓખાની આર.કે. બંદર વિસ્તારમાં આવેલી ભારત જેટી ખાતે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application