બિપરજોય વાવાઝોડા બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી પાણીને કારણે રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી શ કરી દેવામાં આવી છે. જેમાં ૧ આરોગ્ય કર્મચારી અને ૧ આશા વર્કર હોય તેવી કુલ ૫૨૦ સર્વેલન્સ ટીમ કે દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક ઘરની મુલાકાત લઇ પીવાના પાણીનું કલોરીનેશન ચેક કરવાનું, ઓ.આર.એસ.નું વિતરણ, ફીવર સર્વેલન્સ, રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ દ્વારા સ્થળ પર નિદાન, પોરાનાશક કામગીરી તથા સોર્સ રીડકશન તથા આરોગ્ય શિક્ષણ વગેરે કામગીરી કરવામાં આવશે.
તેમજ નગરપાલીકા વિસ્તારમાં સલાયા ખાતે ૦૨, ખંભાળિયા ખાતે ૦૧, ઓખા ખાતે ૦૨ અને દ્વારકા ખાતે ૦૧ વેક્ટર કંટ્રોલ ટીમ દ્રારા કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત, ૨૩ ફોગીંગ મશીન તથા ૨૯ નેપસેક પંપ કાર્યરત કરવામાં આવશે. તેમજ વાવાઝોડા બાદના વરસાદથી મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ૧૦૨ લીટર ટેમીફોર્સ, ૨૫ લીટર પાયરેથ્રમ, ૧૪.૮ કિલો ડાયફ્લ્યું બેન્ઝ્યુંરોન ઉપયોગ કરવામાં આવશે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૦૯ ટી.સી.એલ. પાઉડર બેગ ઉપલબ્ઘ છે.જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ૦૫ લાખ ક્લોરીન ટેબ્લેટની પહોચાડીને વિતરણ કરવામાં આવશે તથા જરૂર પડયે વધુ ૦૫ લાખ ક્લોરીન ટેબ્લેટ ઉપલબ્ઘ કરવાની કામગીરી ચાલુ છે. તેમજ ૧૬૨ ક્લોરોસ્કોપથી ક્લોરીનેશનયુક્ત પાણીની ચકાસણી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech