ઉપલેટા પંથકમાં સમઢીયાળા, બાઠ, મજેડી, તલંગણા, પાટણવાવ, ભાડેર, ચિચાંડ, છત્રાસા સહિતના ગામોમાં ત્રણ દિવસ ભારે વરસાદને કારણે ખેતીની જમીન અને પાક ધોવાણ થતાં ખેડૂતોને કરોડો પિયાની નુકસાની થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ખેડૂતોએ તાત્કાલીક સર્વે કરાવવા પણ માંગ ઉઠાવી છે.
ભારે વરસાદને પગલે ઉપલેટાના સમઢીયાળા, ભાડેર સહિત ૧૫ ગામોમાં ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોએ જમીનમાં વાવેલ કપાસ, એરંડા, મગફળી, સોયાબીન સહિતનો પાક સંપુર્ણ નાશ પામ્યો છે. જયારે ભારે વરસાદને કારણે પાટણવાવ પાસે આવેલ ઓસમ ડુંગરના પાણી નજીકના ગામની સીમ જમીનમાં ઘુસી જતાં ખેડૂતોની જમીન ધોવાણ થઈ ગયેલ છે. પાકમાં જમીનથી ઉખેડી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. જયારે ખેતીની જમીનમાં બે બે ફુટ માટી ધોવાઈ જતાં ખેતરમાં પથ્થર દેખાવા લાગ્યા છે. ખેડૂતોએ શેઢા પાળે માલઢોર માટે વાવેલ વૃક્ષો પણ જમીનથી વિખુટા પડી જતાં આ વૃક્ષમાં પણ નાશ થાય તેવી પરિસ્થિતિ ઉભી થતાં ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. ૨૪ કલાક વરસાદ બંધ રહેવા છતાં હજુ ખેતરોમાં મોલમાં પાણી ભરાઈ રહેતા આ મોલ સંપુર્ણ ફેલ થઈ ગયો છે. ત્યારે આ પંથકમાં ખેડૂતોએ જમીન ધોવાણ અને પાક નુકસાનીના તાત્કાલીક સર્વે કરાવી તેને વળતર ચુકવવામાં માંગ કરી છે. ખેડૂતોએ વધુમાં જણાવેલ કે જો પાંચ દિવસમાં સર્વેનો આદેશ નહીં કરવામાં આવે તો સરકારી કચેરીઓને ઘેરાવ કરવાના ભણકારા વાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech