બનારસમાં રિમોડેલિંગ કામના કારણે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન એપ્રિલ મહિના માટે રદ કરાઈ

  • April 01, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનારસ ખાતે રિમોડેલિંગના કામને કારણે ઓખા–નાહરલગુન (અરૂણાચલ પ્રદેશ) સાાહિક સમર સ્પેશિયલ ટ્રેનની ટિ્રપ્સ એપ્રિલ ૨૦૨૩ માટે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ હવે ટ્રેન નંબર ૦૯૫૨૫ ઓખા–નાહરલગુન સ્પેશિયલ ટ્રેન તા.૨–૫થી ૨૭ સુધી ઓખાથી દર મંગળવારે રાત્રે ૧૦ કલાકે ઉપડશે અને શુક્રવારે બપોરે ૪ કલાકે નાહરલગુન પહોંચશે. તેવી જ રીતે રિટર્નમાં ટ્રેન નંબર ૦૯૫૨૬ નાહરલગુન–ઓખા સ્પેશિયલ તા.૬–૫થી ૧–૭ સુધી નાહરલગુનથી દર શનિવારે સવારે ૧૦ કલાકે ઉફડશે અને મંગળવારે રાત્રે ૩.૩૫ કલાકે ઓખા પહોંચશે.


ટ્રેન નંબર ૦૯૫૨૬ ઓખા–નાહરલગુન સ્પેશિયલ માટેનું બુકિંગ આજથી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની સેબસાઈટ પરથી કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application