RMCના આવાસમાં જ ગંદકી : સાધુવાસવાણી રોડ પરના આવાસના રહેવાસીઓમાં રોષ, કહ્યું, "અનેક વાર રજૂઆત કરી પણ કોઈ કચરો ઉપાડવા જ નથી આવતું"

  • March 10, 2023 10:53 PM 


સ્વચ્છ રાજકોટની વાતો વચ્ચે શહેરમાં અનેક જગ્યાએ ગંદકીના ગંજ જોવા મળે છે. રાજકોટમાં રોડ રસ્તા પરની ગંદકી તો ઠીક હવે મનપાના આવાસ યોજનાના ક્વાર્ટરમાં પણ ગંદકી જોવા મળી રહી છે. વાત છે અહીંયા રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા મનપાના આવાસની. ઠેરઠેર અહીંયા ગંદકી જોવા મળી રહી છે જેને લઈને રહેવાસીઓ પરેશાન થઈ ચૂક્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે, ગંદકીની સમસ્યા બાબતે અનેક વખત રજૂઆત કરી જોવા છતાં કચરો ઉપાડવા અહીંયા કોઈ ફરકતું પણ નથી. 
​​​​​​​

રાજકોટને સ્વચ્છ બનાવવાની મનપાના શાસકોની વાતો કેટલી હદે સાચી છે તે અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે. રાજકોટનાં રોડ રસ્તાઓ પર તો ગંદકી સામાન્ય બની ગઈ છે પણ જ્યાં લોકો રહે છે તેવા મનપાના જ આવાસમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. આવા તો રાજકોટમાં મનપાના અનેક ક્વાર્ટર આવેલા છે જ્યાં ગંદકી જોવા મળે છે. ત્યારે આજે ગંદકીને લઈને સાધુવાસવાણી રોડ પર આવેલા આવાસના લોકોએ ભારે વિરોધ કર્યો હતો અને પોતાનો રોષ ઠાલવતાં કહ્યું હતું કે, "અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કચરો ઉપાડવા આવતું જ નથી" જેથી આજે સ્થાનિકોએ કચરો ઉપાડી રસ્તા પર ફેંકયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application