ધોરાજી : કલાકો સુધી રજળતો રહ્યો યુવકનો મૃતદેહ, જવાબદાર તંત્રના અધિકારીઓના આંખ આડા કાન

  • March 07, 2023 04:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ધોરાજીમા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજરોજ ધોરાજી પાસે ટ્રેનમા કપાઈ ગયેલ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે યુવકનો મૃતદેહ ત્રણ કલાક સુધી લાવારિસની જેમ રખડતો રહ્યો, જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ સુધી પણ ન પહોંચ્યા.

મળતી વિગતો અનુસાર, સોમનાથ થી પોરબંદર જતી ટ્રેનમા ધોરાજીના નાભીરાજ સોસાયટી પાસે ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા યુવકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

સૂત્રો અનુસાર આ ઘટના છ વાગ્યા આસપાસ બની હતી પણ અઢી થી ત્રણ કલાક સુધી જવાબદાર તંત્રના એક પણ અધિકારીએ ઘટનાનો ગંભીરતા સમજવા છતાં પહોંચ્યા જ નહિ. 

સ્થાનિક લોકોએ કુતરા કે અન્ય પ્રાણીઓ મૃદેહને વિખેરે નહિ એ માટે કલાકો સુધી ઘટના સ્થળે મૃતદેહ ની દેખરેખ રાખતા રહ્યા.

ટ્રેનની અડફેટે યુવક આવી ગયાના સમાચાર મળતાં જ સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અંતે રાતના સમયે યુવાનના મૃતદેહને  રેલવે પોલીસ દ્વવારા કબ્જો લઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application