રાજકોટના ધોરાજીમા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજરોજ ધોરાજી પાસે ટ્રેનમા કપાઈ ગયેલ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે યુવકનો મૃતદેહ ત્રણ કલાક સુધી લાવારિસની જેમ રખડતો રહ્યો, જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ સુધી પણ ન પહોંચ્યા.
મળતી વિગતો અનુસાર, સોમનાથ થી પોરબંદર જતી ટ્રેનમા ધોરાજીના નાભીરાજ સોસાયટી પાસે ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા યુવકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.
સૂત્રો અનુસાર આ ઘટના છ વાગ્યા આસપાસ બની હતી પણ અઢી થી ત્રણ કલાક સુધી જવાબદાર તંત્રના એક પણ અધિકારીએ ઘટનાનો ગંભીરતા સમજવા છતાં પહોંચ્યા જ નહિ.
સ્થાનિક લોકોએ કુતરા કે અન્ય પ્રાણીઓ મૃદેહને વિખેરે નહિ એ માટે કલાકો સુધી ઘટના સ્થળે મૃતદેહ ની દેખરેખ રાખતા રહ્યા.
ટ્રેનની અડફેટે યુવક આવી ગયાના સમાચાર મળતાં જ સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અંતે રાતના સમયે યુવાનના મૃતદેહને રેલવે પોલીસ દ્વવારા કબ્જો લઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech