શમીની ગેરહાજરી છતાં પણ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને ભારે પાડી શકે છે જાણો શું છે કારણ?

  • December 23, 2023 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. આ શ્રેણીમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે ભારતીય ટીમમાં સામેલ નહી થાય. તેમ છતાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને ભારે પાડી શકે છે. આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ફેની ડીવિલિયર્સે કહ્યું કે, શમીની ગેરહાજરીમાં પણ ટીમ ઈન્ડિયાની જીતનું પલડું ભારે છે. જો કે દેખીતી રીતે જ ભારતીય ટીમને શમીની ખોટ રહેશે.

ફેની ડી વિલિયર્સે એમ પણ કહ્યું કે, "ટીમ ઈન્ડિયા સિરીઝ જીતવાની તક સાથે દક્ષિણ આફ્રિકા પહોંચી છે. ભારત પાસે એવા બોલર્સ છે, જે લેન્થ સાથે યોગ્ય લાઈનમાં બોલિંગ કરી શકે છે. તેઓ ઓફ સ્ટમ્પ પર પાંચમી અને છઠ્ઠી સ્ટમ્પ લાઇન પર બોલિંગ કરી શકે છે. જો તમે આ લાઇન પર ચાર બોલ પણ ફેંકો તો તમે ટેસ્ટ જીતી શકો છો."

આફ્રિકન બોલરો અંગે તેમણે કહ્યું કે, "આફ્રિકાના ઝડપી બોલરો યુવા છે અને તેઓ શક્ય તેટલી ઝડપી બોલિંગ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. હું માનું છું કે ટીમ ઈન્ડિયા પાસે આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતવાની આ ખૂબ જ સારી તક છે" આ સિવાય પૂર્વ આફ્રિકન બોલરે શમી વિશે કહ્યું કે, શમીની ગેરહાજરીમાં પણ ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ જીતવાની 65 ટકા તક છે.

ટીમ ઈન્ડિયા બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે, રોહિત-વિરાટ પરત ફરશે

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન વિરાટ કોહલી આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી દ્વારા મેદાનમાં પરત ફરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તેમની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે વનડે વિશ્વકપ 2023 ફાઈનલના ભાગરૂપે રમી હતી. આ પહેલા આફ્રીકા સામે રમાયેલી ટી20 અને વનડે  સીરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમનો હિસ્સો ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application