ખંભાળિયા શહેરમાં વિવિધ રસ્તાઓ નવેસરથી મઢવા અનિવાર્ય હોય, શહેરમાં સી.સી. રોડ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત રવિવારે અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા શહેર નજીક આવેલા સુમરા તરઘરી ગામે ડમ્પિંગ સાઈટ પર રિકવરી ફેસીલીટી માટે રૂપિયા ૮૦ લાખના ખર્ચે સેન્ટર બનાવવા, અહીંના મહત્વના બેઠક રોડ પર સીસી રોડના કામ, ઉપરાંત જડેશ્વર રોડ, જોધપુર ગેટ સહિતના જુદાજુદા રસ્તા ઉપર સીસી રોડના નિર્માણ, ઘી નદી પર ચેકડેમ રીપેરીંગ તથા ગેઈટ રીપેરીંગના કામ, ટાઉનહોલમાં ઘટતી સુવિધાઓ પ્રાપ્ય કરવા, અહીં પોરબંદર રોડ પરનો બેઠો પુલ પહોળો કરવા, વિગેરે ૧૧ વિકાસ કામો માટે સરકાર દ્વારા રૂપિયા ૫.૭૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત ગઈકાલે રવિવારે બપોરે ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી પાસેથી અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા વિગેરે ખાસ જોડાયા હતા.
આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, જયેશભાઈ ગોકાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર, પી.એમ. ગઢવી, મયુર ધોરીયા, હસુભાઈ ધોળકિયા, મીતાબેન લાલ, નિમિષાબેન નકુમ, રેખાબેન ઝિલ્કા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થયેથી નગરજનોની સુખ સુવિધામાં વધારો થશે તેમ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું અને નગરપાલિકાની વર્તમાન બોડીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો સાથે ભાજપના કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech