જી.જી. હોસ્પિટલ ખાતે 'રાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી કરવામાં આવી
૮૫ નવજાત દીકરીઓના વાલીને 'દીકરી વધામણાં કીટ' અર્પણ કરવામાં આવી
જામનગર તા. ૩૦ જાન્યુઆરી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી, જામનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન, વ્હાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણાં જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા-દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવો દૂર થાય. દર વર્ષે સમગ્ર દેશમાં તા. ૨૪ જાન્યુઆરીના રોજ 'રાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે 'રાષ્ટ્રીય દીકરી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
ગત તા. ૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના ૮૫ જેટલા નવજાત દીકરીઓના વાલીને 'દીકરી વધામણાં કીટ' અર્પણ કરવામાં આવી હતી. નવજાત જન્મેલ બાળકીઓની માતાઓને સ્તનપાન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ ધાત્રી માતાઓને વ્હાલી દીકરી યોજના વિષે માહિતી અપાઈ હતી. આ દીકરી વધામણાં કીટમાં નાના શિશુ માટેના કપડાં, જોહન્સન કંપનીની બેબી કેર કીટ, રમકડાં, મચ્છરદાની તેમજ બાળકને ઓઢાડવા માટેની ગોદડી- આમ બાળ સંભાળ માટેની જરૂરી વસ્તુઓ વાલીને અર્પણ કરવામાં આવે છે.
કાર્ય્રક્રમના અંતે રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણ અંગેની વિવિધ યોજનાઓ અંગેની માહિતી દર્શાવતા પેમ્ફલેટનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી સોનલબેન વર્ણાગર, શ્રી હંસાબેન ટાઢાણી, શ્રી રુકસાદબેન ગજણ, જી.જી. હોસ્પિટલ સ્ત્રી રોગ વિભાગના વડા શ્રી ડો. નંદિની આનંદ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર તેમજ જી.જી. હોસ્પિટલના અન્ય કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech