જામનગરમાં વિશા શ્રીમાળી દેરાવાસી જૈન સમાજના તપસ્વીઓના પારણાં

  • September 20, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિશા શ્રીમાળી દેરાવાસી જૈન સમાજના તપસ્વીઓના પારણાં

જામનગરમાં જૈન સમાજના પર્યુષણ પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગઈ કાલે સંવત્સરીની ઉજવણી બાદ આજે તપસ્વીઓના પારણાં કરવામાં આવ્યા હતા. જામનગરના વીસા શ્રીમાળી દેરાવાસી જૈન સમાજના તપસ્વીઓના તંબોલી માર્કેટ પાસે આવેલી અમૃતવાડીમાં પારણા કરાવવામાં આવ્યા હતા.

શ્રી વિસાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જયોતિ વિનોદ ઉપાશ્રય દ્વારા પર્યુષણના અઠમ અને તેથી વધારે તપ તથા ચોસઠ પહોરી તપના પારણાનો લાભ દોશી લીલમબેન ઇન્દુલાલ પરિવાર-ઋષભ નિલેશભાઇ દોશીની અઠાઇ તપની અનુમોદનાર્થે આપેલ, ત્યારે મુન્ની ભગવંતો એ તમામને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ સાંજે ચાર વાગ્યાથી વરઘોડા નું  પણ આયોજન કરાયું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application