ચોટીલા મંદિર પર બ્લાસ્ટનું કાવતરું રચનાર રાજકોટના 2 આતંકી ભાઈઓને કોર્ટે સંભળાવી સજા

  • March 01, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા મંદિર લોન વુલ્ફ એટેકનું ષડયંત્ર રચનારા બે આતંકવાદીઓને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. સ્પેશ્યલ NIA કોર્ટ બે સગા ભાઈ વસીમ અને નઈમને 10 વર્ષની સજા સંભળાવી છે. રાજકોટના બન્ને ભાઈઓ સિરિયા ખાતે ISISના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
​​​​​​​

ગુજરાતમાં ISISના આતંકવાદીઓને સજા આપી હોય તેવો આ પહેલો કેસ છે. રાજકોટમાં રહેતા વસીમ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાને ગુજરાત ATSએ ભાવનગર અને રાજકોટથી ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, ડમી સીમકાર્ડ, ગન પાઉડર સહિત અનેક નક્કર પુરાવા મળી આવ્યા હતા.

બંને આતંકવાદીઓ સામે 8 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે બાદ ન્યાયાધીશ સુભદ્રાબેન બક્ષીએ બંનેને 10 વર્ષની સજા ફટકારી છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ઉડાવી દેવાના 'લોન વુલ્ફ એટેક' ઉપરાંત બંને ભાઈઓ વધુ ટ્રેઈનીંગ માટે સીરિયા જવાના હતા. જો કે, એ પહેલા જ ગુજરાત ATSએ તેમને દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application