તંત્રની મનાઇ હોવા છતાં ઓખામંડળની અસંખ્ય ફીશીંગ બોટો માછીમારી માટે ગઇ: તંત્ર નિષ્કીય

  • August 05, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયામાં વરસાદી વિઝનના કારણે કરન્ટ રહેતો હોય તેથી ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારીની મંજુર નહીં આપી માછીમારો માછીમારી કરવા ન જવા માટે સુચના આપવામાં આવી હોવા છતાં ઓખા મંડળની અસંખ્ય માછીમારી બોટો ફીશીંગ માટે હાલ દરિયામાં જતી રહી છે અને જીવના જોખમે માછીમારો માછીમારી કરી રહ્યા છે.


સમગ્ર દરિયાકાંઠે ભારે પવનના લીધે ૪પ થી ૬પ કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના જોતા હવામાન ખાતાની આગાહી બાદ ઓખા ફીશરીંગ કચેરી દ્વારા તા. ૩૧ જુલાઇ થી ૪ ઓગષ્ટ સુધી માછીમારી પર મનાઇ ફરમાવતો પરિપત્ર જાહેર કરી માછીમારો તથા સંલગ્ન સંસ્થાઓને દરિયો ન ખેડવા સુચના આપી હતી.


 આમ છતાં શુક્રવારના અસંખ્ય માછીમારી બોટ સમગ્ર ઓખામંડળના અલગ અલગ બંદરો પરથી દરિયો ખેડવા નીકળી પડી હોય રૂપેણ બંદર, ડાલડા બંદરના માછીમારો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા હતા. દરમિયાન ગેરકાયદે ફીશીંગ અંગે ફીશરીઝ  વિભાગની ગાંધીનગર કચેરી સાથે ટેલીફોનિક ચર્ચામાં ખરાબ હવામાનના લીધે સમગ્ર રાજ્યમાં ૭મી ઓગષ્ટ સુધી મનાઇ હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી ન થઇ હોય તેમ તંત્ર ઉંધતું ઝડપાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application