સમગ્ર રાજ્યમાં બીપરજોય વાવાઝોડાના પરિણામે વરસાદ પડવાને કારણે વાહકજન્ય રોગ તેમજ પાણીજન્ય રોગચાળો થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. આ રોગચાળો પગપેસારોના કરે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપર હેઠળના તમામ ગામોમાં આરોગ્ય કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં લાલપુર ગામમાં કુલ ૧૫ ટીમો દ્વારા ૬૯૦ ઘરોમાં ૪૭૧૬લોકો, હરીપરના અન્ય ૬ ગામો માં કુલ ૩૫૦ ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી જેમાં ૧૫૯૦ ની વસ્તી ને આવરી લેવામાં આવી હતી. જેમાં તાવ , શરદી , ઝાળા-ઉલટી જેવા રોગોની તપાસ કરી આરોગ્ય ટીમ દ્વારા સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. કુલ ૩૦૦૦ ક્લોરીન ટેબ્લેટનું અને 20 ઓ.આર.એસ પાવડર નુ વિતરણ કરવામાં આવ્યુ હતું. અને પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરાયા હતા. તેમજ દરેક ઘરોમાં પાણીના બિનજરૂરી પાત્રોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી વાહકજન્ય રોગ ફેલાય નહી તેમજ વાપરવાના પાણીના ભરેલા પાત્રોમાં એબેટ દવા નાખવામાં આવી હતી.
સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હરીપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.ભૂમિ શાહના મોનીટરીંગ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનવા હરીપર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સુપર વાઈઝર નરેન્દ્રભાઈ પરમાર દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech