કલ્યાણપુરમાં અધિકારીઓની ફરજમાં રૂકાવટ કર્યાની ચાર સામે રાવ

  • February 03, 2023 07:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ચાર શખ્સો દ્વારા વીજ ચેકિંગમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


આ અંગે જામનગરમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા કિશોરભાઈ દેવશીભાઈ કોચરા (ઉ.વ. ૩૮) દ્વારા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ગઈકાલે ગુરુવારે ફરિયાદી કિશોરભાઈ તથા અન્ય કર્મચારીઓ વીજ ચેકિંગ અંગેની કામગીરી માટે ગયા હતા, ત્યારે રાણ ગામના ભાવેશ ઉર્ફે ભીમાભાઈ રણમલભાઈ હડિયલ, નિકુંજ હડિયલ, યોગેશ હડિયલ અને મોહન લીરાભાઈ ડાભી નામના ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી કિશોરભાઈનો કાંઠલો પકડી, લાતો વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કરી હતી.


આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૩૨, ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application