જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા એક કોલેજીયન યુવાને અભ્યાસના ટેન્શનના કારણે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે અંગે ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીલસ ગામમાં રહેતા અને જામનગરની એક કોલેજમાં અભ્યાસ કરતા દિનેશ વિનોદભાઈ નકુમ નામના ૧૮ વર્ષના યુવાને પોતાના ઘેર પંખાના હુકમા દોરડું બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા વિનોદભાઈ નકુમે પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ રાઠોડએ જી.જી. હોસ્પિટલે દોડી જઈ કોલેજીયન યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જ્યારે પોલીસની પૂછપરછમાં પોતાને કોલેજના અભ્યાસનું ટેન્શન હોવાના કારણે આ પગલું ભરી લીધાનું જણાવાયું છે.
જામનગરની એમપી શાહ કોમર્સ કોલેજમાં પોતે સેમેસ્ટરની પરીક્ષા આપી હતી જેનું પેપર નબળું જતાં મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં કોઈને વાત કરી ન હતી. ત્યારબાદ તેણે આપઘાતી પગલું ભરી લીધું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech