ખીલોસ ગામમાં કોલેજીયનનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • February 02, 2023 10:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.


જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા અને જામનગરની એક કોલેજમાં અભ્યાસ કરતા દિનેશ વિનોદભાઈ નકુમ નામના ૧૭ વર્ષીય તરુણે આજે વહેલી સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેરા ભારે અરેરાટી પ્રસરી છે મૃતક તરુણ કે જેને આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારજનોએ તાત્કાલિક નીચે ઉતારી તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેનુ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 

આ બનાવની જાણ થતાં પંચકોષી-એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવની તપાસ આદરી છે. બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application