જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમાનું તા. ૧લી મેના થશે અનાવરણ

  • April 22, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવામાં આવનાર છે. આમ તો મહારાણા પ્રતાપની જયંતી ૯ મી મે અને તિથિ મુજબ રર મે ના છે. પરંતુ મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ ૧ લી મે ના જામનગર આવનાર  હોવા થી તેમના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવે તેમ  જાણવા મળે છે.



જામનગર ક્રિકેટ બંગલા નજીક સર્કલમાં મહારાણા પ્રતાપ ની પ્રતિમા મૂકવામાં આવનાર છે. આ માટે બાંધકામ, ગાર્ડન,  માટી કામ વગેરે ની તૈયારીઓ ચાલી રહી છે. આજે ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની એ કામ ના સ્થળે નિરિક્ષણ પણ કર્યું હતું.


મહારાણા પ્રતાપ નો જન્મ ૯ મે ના થયો હતો આમ તેની જયંતી ની ૯ મી મે ના અને તિથિ મુજબ રર મે ના ઉજવણી થાય છે.. પરંતુ તેની નવી મૂકવામાં આવનાર પ્રતિમાનું અનાવરણ ૧ લી મે ના મુખ્યમંત્રી ના હસ્તે જ કરવા માં આવે તેમ જાણવા મળે છે. કારણ કે તા. ૧ લી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં થનાર છે અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નું  મંત્રી મંડળ જામનગર આવનાર છે. આથી એ દિવસે જ મહાનુભાવોની ઉપસ્થિતિ માં મુખ્યમંત્રી નાં હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમા નું અનાવરણ કરવાનું આયોજન થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application