ઉપલેટા-ધોરાજી પંથકમાં વિકાસની ગાડી મંદ પડી ગઈ હતી તેને પુરપાટ દોડાવવા નવ નિયુકત ધારાસભ્ય દ્વારા સરકારમાં ૧૦૦ વધુ કામો છેલ્લા બે માસથી સતત રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ ઉપલેટા-ધોરાજી વિસ્તારના ગ્રામ્ય રોડ-રસ્તાઓ માટે ૭૬ કરોડ પિયા મંજૂર કરતા ગ્રામ્ય વિસ્તારનાં માથાના દુખાવારૂપ રસ્તાઓ હવે નવા રૂપ ધારણ કરશે.
ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન ધોરાજીથી ભોળા, છાડવાવદર, ભોલ ગામડા, ચિખલિયા, હાડફોહી સુધી ૧૫ કિ.મી.નો રસ્તો તેમજ ખારચિયાથી ઢાંક મેરવદર અમરાપર સુધી ૧૭ કિ.મી.નો રસ્તો સતત બિસ્માર હાલતમાં હોય આ રોડ ઉપર ગમે ત્યારે વાહનો ચાલી ન શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ જાય તેમ હતી જયારે ઉપલેટાથી પાટણવાવ સુધીના રોડ ઉપર આવેલ નાના-મોટા પુલિયા સાવ બિસમાર હાતલ અને ચોમાસા દરમિયાન પુલ અગાઉ તુટી જવાના બનાવો પણ બન્યા હતા આને કારણે અમુક ગામડાઓના સંપર્ક તુટી જતાં અને ૧૫ કિ.મી. સુધી ફરીને જવું પડતું હોય તેથી ઉપલેટાના વેપાર-ઉદ્યોગ પણ ભાંગી ગયા હતા આવી અનેક ફરિયાદો ઉઠવા પામતા જાગૃત ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયા રોડ-રસ્તા અને આરોગ્ય વિભાગના સહિત ૧૦૦ કરતા વધુ લોકોના કામ માટે જે તે ખાતાના અધિકારીઓ અને મંત્રીઓ સાથે સતત મિટીંગો કરી ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યા હતા છેલ્લે આ પ્રશ્ર્નો માટે સોમવારે મુખ્યમંત્રીને બ મળી તાત્કાલિક ધોરણે રોડ-રસ્તાના કામો ઉકેલાવવા રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૭૬ કરોડ રૂપિયા મંજૂર કરી વહેલીતકે કામ પૂર્ણ કરવા જે-તે વિભાગને સૂચના આપી હતી.આ અંગે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી માહિતી મળેલ કે ૭૬ કરોડ રૂપિયા મંજૂર કરેલ છે .આ વાત ધોરાજી-ઉપલેટાના મતદારો માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જેયલો આભાર માનીએ એટલો ઓછો છે તેમ જણાવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી-1 અને વેણુ-2 ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
September 18, 2024 11:46 PMLebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત
September 18, 2024 11:44 PMBihar News: નવાદામાં દબંગોએ 60 થી વધુ ઘરોને લગાડી આગ, કર્યો ગોળીબાર; પોલીસે સંભાળ્યો ચાર્જ
September 18, 2024 11:43 PMસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
September 18, 2024 11:40 PMશિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ
September 18, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech