aajkaal@team
ભાવનગર શહેરમાં આવેલ અલગ અલગ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન - સિંધી સમાજ ભાવવિભોર, પૂજ ભહેરણા સાહેબ, પલ્લવ, સત્સંગ, શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોનું કરાયું આયોજન
સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ સાહેબની ૧૦૭૩મી જન્મ જયંતીની તા.૨૩/૩/૨૩ ને ગુરૂવારે ભાવનગર શહેર તેમજ જિલ્લા સહિત સમગ્ર ભારતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ભાવનગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ મંદિરોમાં ચૈત્રબીજ (ચેટીચંડ) ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર શહેર સહિત જિલ્લાના શિહોર, પાલીતાણા, ધોળા, મહુવા સહિતના ગામોમાં પણ ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.
તા.૨૩/૩ ને ગુરૂવારે બપોરે ઝુલેલાલ મંદિર, રસાલા કેમ્પ તેમજ આનંદનગર સ્થિત મંદિરમાં મહાપ્રસાદ તેમજ રાત્રે સિંધુનગર ખાતે આવેલ મુખ્ય ઝુલેલાલ મંદિર તેમજ નવજવાન મંડળ ખાતે સાંજે ૮ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમસ્ત સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં આવેલ ભગવાન ઝુલેલાલના મંદિરોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂજાવિધિ નું આયોજન કરવામાં આવેલ હોવાથી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવશે. જૂના બંદર સ્થિત દરિયાલાલ ની પૂજાવિધિ, અખો, પલ્લવ, આરતી વિગેરે કરવામાં આવશે. સવારે 6 કલાકે ઝુલેલાલ મંદિર સિંધુનગરથી પ્રભાત ફેરી સમગ્ર સિંધુનગરમાં ફેરવવામાં આવશે.
રસાલા કેમ્પ ખાતે આવેલ લાલ સાઈ હેલ્થ સેન્ટર ખાતે સવારે ૧૧ થી ૪ બ્લડ ડોનેશન કેમ્પ, બપોરે ૪ કલાકે રૂપમ સ્થિત સંત પ્રભારામ જલઆશ્રમ થી જૂના બંદર સ્થિત દરિયાલાલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને ભગવાનની પૂજા વિધિ કરવામાં આવશે.
આ ભવ્ય ઉજવણી નિમિત્તે સિંધી સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સવાર થી સ્વયંભૂ સેવાકાર્યો માં જોડાઈ ને સેવા કરવામાં આવશે. આ ઉજવણી દરમ્યાન સમગ્ર સિંધી સમાજની સાથે સાથે વિવિધ રાજકીય આગેવાનો, વડીલો, સામાજિક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. ભગવાન ઝુલેલાલ સાહેબના ૧૦૭૩મી જન્મ જયંતી ની ભવ્યતા થી ભવ ઉજવણી કરવા માટે સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ ફેલાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech